
લોકમાન્ય તિલકે ગણપતિની સ્થાપના સમાજન સંગઠીત કરવા શુભ ઊદેશ્ય સાથે કરી હતી. મહારાષ્ટ્ર બાદ નવસારીમાં સૌથી વધુ રંગેચંગે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. ત્યારે નવસારી શહેરમાં સ્ટેશન વિસ્તારમાં હિરામેન્સન ચાલમાં શ્રી સાર્વજનિક ગણપતિ ઉત્સવ ની આંનદ ઉલ્લાસમાં ઉજવણી કરવામાં આવે છે.
દક્ષિણ ગુજરાત નું ગૌરવ એવા હિરામેન્સન નવસારીમાં 1943 થી શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ ધર્મના સંસ્કૃતિ અને પરંપરા અનુસાર 82 વર્ષ થી સ્થાપના ની 6 ફુટ ની પ્રતિમા અખંડ શાડુ માટી થી ઘડવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમ્યાન વિશેષ આરતી કરવામાં આવતી હોય છે. આ આરતી રાત્રે 8 કલાકે ઢોલ, તાશા સાથે થાય છે. આરતીનો લાભ લઇ જીવન ધન્ય કરવાં આપણા પરીવાર મિત્ર મંડળ સાથે લાભ લેવા શ્રી સાર્વજનિક ગણપતિ ઉત્સવ હિરામેન્સન દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ગણેશ ઉત્સવ દરમ્યાન શ્રી ગણપતી અથર્વશીર્ષ પાઠ, શ્રી ગણેશ યાગ, મંગળ વારે 108 મહા આરતી,સત્યનારાયણ કથા અને રિદ્ધિ સિધ્ધિ સાથે વિરાજમાન સફળતા નાં દેવતા સિધ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ બાપાના દર્શન કરી આશિષ મેળવી ધન્યાતા અનુભવશો.