
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં સેવા, સ્વચ્છતા અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ ભાગ લીધો હતો. જે અંતર્ગત આજ રોજ નવસારી જિલ્લા મોરચા મહિલા તરફથી શિરવાઈ પાર્ટી પ્લોટ ખાતે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. કુલ મળીને આશરે 130 જેટલી મહિલાઓએ મહાદાન સ્વરૂપે રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો, મહિલા મોરચાના કાર્યકરો તથા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.



