વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

0 0
Read Time:4 Minute, 13 Second

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ .

નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ પાણી ટાંકી જર્જરીત થતા જમીન દોસ્ત કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આજ મોડી સંધ્યાકાળે પાણી ટાંકી ઉતારી લેવાઈ છે, જે દરમ્યાન પાણી ટાંકીનો કેટલોક ભાગ કંપાઉન્ડ  દિવાલ પર પડતાં  ધરાશાયી થતાં ભારે નુકસાન થયું છે. જોકે આ ધટનામાં જાનહાનિ તળી છે પરંતુ કાર અને મોટર સાયકલને ભારે નુકસાન થયું છે.

નવસારી મોટા બજાર વિસ્તાર પાસે કોટ મહોલ્લામાં જૂની પાણીની ટાંકીમાંથી લીકેજ બિન ઉપયોગમાં હતી. વર્ષ ૧૯૬૦માં સાડા દસ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકીનું ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે લોકાર્પણ થયું હતું. આ પાણી ટાંકી લીકેજ સાથે જર્જરિત થઇ હતી. આ પાણી ટાંકીની ૬૨થી વધુ  વર્ષ બાદ સમય મર્યાદા પૂનઃ થતા પાણી ટાંકી ઉતારી લેવા કામગીરી ચાલી રહી હતી ત્યારે આજ મોડી સંધ્યાકાળે પાણી ટાંકી ધડામ દઈને કકડ ભૂસ થવાથી આ વિસ્તારમાં ભૂકંપ જેવી સ્થિતિ સ્થાનિકોએ અનુભવી છે. જમીન દોસ્ત દરમ્યાન પાણી ટાંકીનો કેટલોક ભાગે નવી પાણી લાઈનમાં ભંગાણ  કર્યું છે. પાણી લાઇન તૂટી જતાં શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો હાલ તાત્કાલિક બંધ થયો છે . પાણી લાઇન પણ તૂટી જતાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે. પાણી લાઇન ડેમેજ થતા મોટા બજાર, મરીયમપુરા, ગોલવાડ અને તરોટા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વાળયા હતા. શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય હતી. આ વિસ્તારોમાં આવેલ દુકાનદારો, વાહનચાલકો, રાહદારીઓ તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જોકે આ ધટનાને પગલે  મહાનગરપાલિકાના અધિકારીઓ, ફાયર વિભાગના જવાનો અને પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.

નવસારી શહેરમાં સૌપ્રથમ બનાવેલી પીવાના પાણી માટેની ટાંકી જર્જરિત થતાં તેને દૂર કરાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે ઓવરહેડ ટાંકીને જમીનદોસ્ત કરવા એક એજન્સીને કામગીરી આપવામાં આવી હતી પરંતુ આ એજન્સીની બેદરકારીને પગલે મોટી દુર્ધટના તળી છે. જમીન દોસ્ત દરમ્યાન પાણી ટાંકીનો કેટલોક ભાગ કંપાઉન્ડ  દિવાલ પર પડતાં દિવાલ ધરાશાયી થઇ છે. રસ્તા પર કાટમાળ પડતાં માર્ગ બંધ થયો છે. આ ઘટનામાં એક કાર સહિત ગ્રામ્ય પોલીસે વિવિધ ગુનારોમાં કબજે કરેલ મોટર સાયકલને ભારે નુકસાન થયું છે. આ દિવાલ ધરાશાયી ઘટનાને પગલે કાટમાળ રસ્તા પર પડતાં મોટા બજારનો રસ્તો બંધ કરાયો છે. ઉપરાંત, પાણી લાઇન તૂટી જતાં શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો હાલ તાત્કાલિક બંધ થતાં સિમિત વિસ્તારમાં હાલાકી પડશે .

સાડા દસ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકીનું ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે લોકાર્પણ થયું હતું. (ફાઈલ ફોટો )

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 43 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 92 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 136 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 57 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 70 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 159 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો