
વિજયા દશમીનો તહેવારની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. આજ દશેરાનો તહેવાર નિમિતે વિશેષ શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ કચેરી ખાતે વૈદિક મંત્રોચાર સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. નવસારી એસપી સુશીલ અગ્રવાલના હસ્તે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું છે.
દશેરાનો તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આમ ભારતીય વૈદિક સંસ્કૃતિથી શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ છે. ત્યારે રાજય સહિત દેશમાં પોલીસ વિભાગમાં શસ્ત્ર પૂજનનું પરંપરાઓ શાશ્વત છે. જેન લઈને નવસારી જિલ્લા પોલીસે આજ દશેરાના દિને શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું હતું. આ શસ્ત્ર પૂજનમાં અલગ અલગ પ્રકારની પિસ્તોલ , રીવોલ્વર સાથે મશીન ગન અને કારતુસો તેમજ હાથકડીનું વૈદિક મંત્રોચાર સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. આમ જિલ્લા પોલીસમાં વિભાગમાં સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાતા શસ્ત્રોની પૂજા કરવામાં આવી છે. નવસારી જિલ્લા પોલીસ કચેરી ખાતે પોલીસ વડા સુશીલ અગ્રવાલના હસ્તે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું છે. આ શસ્ત્ર પૂજનમાં પોલીસ અધિકારીઓ, જવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે કરવામાં આવેલ કાર્ય શુભ ફળ આપે છે. એવું પણ કહેવાય છે કે શત્રુઓ પર જીત મેળવવા માટે આ દિવસે શસ્ત્ર પૂજા કરવી જોઈએ.