
છપૈયામાં આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની 244 મી જયંતિ મહોત્સવ દિવ્યતાથી ઉજવાયો
વિશ્વભરના હજારો સ્વામિનારાયણ મંદિર અને સ્વામિનારાયણ સત્સંગ કેન્દ્રમાં શ્રી સ્વામિનારાયણ ભગવનની 244 મી જન્મ જયંતી મહોત્સવ સુપરે ઉજવાયો.
નવસારી સંસ્કાર નગરીમાં શ્રી સ્વામિનારાયણ જયંતિ મહોત્સવ BAPS સ્વામિનારાયણ મંદિરમાં હજારો હરિભક્તોની હાજરીમાં ઊજવવા આવ્યો.
કલ્યાણકારી મહામંત્ર સ્વામિનારાયણ ની ધૂન અને શ્રીહરિના ભજનથી આ મહોત્સવનો મંગલ પ્રારંભ થયો.
“શ્રી સ્વામિનારાયણ ભગવાન દયાના સાગર” આ વિશે પૂજ્ય કમલ નયન સ્વામીએ સુંદર વાત કરી ભગવાન પ્રગટ થયા ચૈત્ર સુદ નવમીના દિવસે ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક છપૈયામાં અને દયાવરસી ગુજરાત પર અને આજે તેમની કરુણા આખા વિશ્વ પર વરસી રહી છે. તે પછી વિડિઓના માધ્યમથી સાચા શ્રીજીના ભક્તરાજ સગરામ ભક્તની કથા નિહાળી.તે પછી ડૉ પૂજ્ય પૂર્ણકામ સ્વામીએ “જીવન પરિવર્તન”આ વિષયક ભગવાન સ્વામિનારાયણના યોગથી કેવા કેવા માથાભારે લૂંટારા જેવા માણસોનું પરિવર્તન કરી ભક્ત બનાવ્યા
જેમાં વડતાલો જોબન, વેરાભાઈ વગેરેની દાસ્તાન ભકતો માણી ત્યાર બાદ પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામીએ કહ્યું કે,ભગવાન સ્વામિનારાયણની ભગવતપ્રતિભાથી અનેક લોકો ભગવાન સ્વામિનારાયણના મહિમાનું ગાન કરતાં હતાં તેઓ અનંત જીવોનું કલ્યાણ કરવાં જ પૃથ્વી પર પ્રગટ થયા હતા તેઓની હયાતીમાં ત્રણ હજાર સંતો અને લાખો લોકો તેમનું ભજન કરતા હતા. તેમનો કલ્યાણ માર્ગ આજે પણ ચાલું જ છે. પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજ દ્વારા હજારોનું શ્રેય કરી રહ્યાં છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વિડિયો આશીર્વાદ સૌ માણ્યા ગુરૂહરિ એ ધ્યેય મંત્ર અને આશ્રય મંત્ર પર વાત કરતા કહ્યું આપણે ભાગ્યશાની છીએ પુણ્યકામ થયા છીએ સુખી થયા છીએ કારણ આપણેને શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. અંતે મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ની જન્મોત્સવની મહા આરતી સંતોએ કરી સાથે ભક્તો ભાવિકો એ પણ આરતીનો લાભ લઈ પંજરીનો પ્રસાદ લઈ સૌએ ભગવાન સ્વામિનારાયણ ના કરી શાતા અનુભવી.
બપોરે બાર વાગે રામચંદ્ર ભગવાન પ્રગટ થયા હતા તેથી નવસારીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં બપોરે 12:00 વાગે પૂજય સંતોએ રામચંદ્ર ભગવાનની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી..