
નવસારીઃ આઝાદીના ઇતિહાસમાં શિરમોર ગણાતી દાંડીકૂચના ઐતિહાસિક સ્મારકનું વ્યવસ્થાપન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ખૂબ જ સારી રીતે થઈ રહી છે. સ્મારકમાં વર્ષ દરમ્યાન ઐતિહાસિક તથા જાહેર થયેલા રાષ્ટ્રીય દિવસોની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે પણ દર વર્ષની જેમ આપણા વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એટલે કે એક પખવાડિયું જાહેર જગ્યાઓએ સ્વચ્છતાની કામગીરી કરીને ઉજવવામાં આવે છે. સરકારશ્રી પણ સ્વચ્છતા હી સેવાની કામગીરી કરી રહી છે. આ સમય દરમ્યાન ખાસ કરીને ઐતિહાસિક સ્થળો સૈફીવિલા, પ્રાર્થના મંદિર અને જાહેર રસ્તા વગેરે સ્થળોએ સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્મારકના સફાઇ કર્મીઓ તેમજ ગાર્ડન વિભાગના સેવક ભાઈ બહેનો જોડાયા હતા.
આ કામગીરીમાં વિસ્તારની આજુબાજુના ઘરના લોકો તેમજ દુકાનદારોને પણ સહભાગી કરવામાં આવે છે. જેથી કરીને આ વિસ્તાર કાયમ માટે સ્વચ્છ રહે જેના લીધે પ્રવાસીઓ પણ પ્રેરણા લેતા હોય છે. સ્વચ્છતા એ કાર્યક્રમ નહીં પરંતુ આપણા સંસ્કાર બને ત્યાં સુધી આ અભિયાનમાં જોડાઈએ એ આપણાં સૌની જવાબદારી છે.