વર્ષ ૨૦૨૫માં વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” નક્કી કરાઇ

0 0
Read Time:6 Minute, 32 Second

ગુજરાત સહિત દેશભરમાં ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી

પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા‌ ૨૧ માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ મનાવવામાં આવે છે. આ તારીખને ઉત્તરી ગોળાર્ધમાં વસંત ઋતુની શરુઆત થતી હોવાથી પસંદ કરવામાં આવી છે, જે કુદરતના પુનર્જીવન અને જીવનને જાળવવામાં વનોનું મહત્વ દર્શાવે છે. તે વસંત સંતાપ સાથે પણ સંલગ્ન છે, જ્યારે દિવસ અને રાત્રિના સમય સમાન હોય છે, જે પ્રકૃતિમાં સંતુલનને તથા વનોના પર્યાવરણ અને પ્રકૃતિના સંતુલન જાળવવા માટેના મહત્વને પ્રતીકરૂપે રજૂ કરે છે.

આ વર્ષે ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યભરમાં શાળાના બાળકો, સ્થાનિક લોકો અને JFMCs જેવા હિતધારકો સાથે સાયકલ રેલી, કાર્યશાળાઓ અને અન્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા વનોના મહત્વથી લોકોને અવગત કરાવવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યું છે.

વધુમાં આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” એવિનોની ખોરાક સુરક્ષા, પોષણ અને આજીવિકાની પુરવણી માટેની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. ગુજરાતમાં, કે જ્યાં વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વન પરિપ્રેક્ષ્ય છે, આ વિષય ખાસ મહત્ત્વ ધરાવે છે. કારણ કે, રાજ્યના વનો ગામનાં તથા શહેરનાં લોકો માટે આવશ્યક સાધનો પૂરા પાડે છે. જે ત્યાંની ખોરાક પ્રણાલીઓ, સ્થાનિક અર્થવ્યવસ્થાઓ અને પર્યાવરણીય સ્થિરતામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

ગુજરાતના વનો, જે રાજ્યના જમીન વિસ્તારમાં લગભગ ૧૧% ટકા  છે, તે માત્ર જૈવવિવિધતાના હોટસ્પોટ્સ નથી પરંતુ સ્થાનિક ખોરાક પ્રણાલીઓ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. નોન-ટીમ્બર વન ઉત્પાદનો (NTFPs) જેમ કે ફળ, કંદમૂળ, મધ, મશરૂમ્સ અને ઔષધીય વનસ્પતિઓ ગ્રામ્ય અને આદિવાસી સમુદાયોના આહારનો અભિન્ન ભાગ છે. ખાસ કરીને ડાંગ જેવા જંગલ વિસ્તારોમાં, જ્યાં જંગલમાં રહેતી વસતિ જીવનનિર્વાહ તથા આવક માટે આ સાધનો પર અવલંબિત છે. ઉદાહરણ તરીકે, જંગલમાંથી એકત્રિત કરવામાં આવેલ મધ આદિવાસી સમુદાય માટે મુખ્ય આવક સ્ત્રોત છે, જ્યારે જંગલી ફળો તેમના પોષણને પૂરક કરે છે, જે વૈવિધ્યપૂર્ણ અને ટકાઉ ખોરાક પુરવઠો પ્રદાન કરે છે.

ખોરાક પ્રદાન કરવા ઉપરાંત ગુજરાતના વનો જમીનની ફળદ્રુપતાની જાળવણી તથા જળ-સંચાલન અને પોલિનેશન દ્વારા આસપાસના વિસ્તારની કૃષિ ઉત્પાદકતા વધારવામા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ડાંગ અને સૌરાષ્ટ્ર જેવા પર્વતીય વિસ્તારોમાં, વનો જમીનનુ ખવાણ અટકાવે છે અને કૃષિ માટે યોગ્ય જમીન સુનિશ્ચિત કરે છે.

વધુમાં, આ વનો ભૂગર્ભજળને પુનઃચાર્જ કરવામાં સહાય કરે છે, જે કૃષિ અને દૈનિક જરુરીયાત માટે પાણીની ઉપલબ્ધતા પ્રદાન કરે છે. કચ્છ જેવા સૂકા વિસ્તારમાં, વનોનુ સંરક્ષણ પાણીની ઉપલબ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જે કૃષિ સમુદાયોને દુષ્કાળ અને પર્યાવરણીય પડકારો માટે વધુ સ્થિતિસ્થાપક બનાવે છે.

ગુજરાતના વનો ટિમરૂના પાંદડા, મહુડાના ફૂલો, મહુડાના બીજ, ગુંદર, કેસુડાના ફૂલો અને વિવિધ ઔષધીય છોડ જેવી નાના વન ઉત્પાદનો (MFP) એકત્ર કરનાર સ્થાનિક ગ્રામ્ય સમુદાયોની આજીવિકા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ MFPs સ્થાનિક અર્થવ્યવસ્થાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કેમકે તે જીવન માટે ટકાઉ આવક પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, ટિમરૂના પાંદડા બીડી બનાવવા માટે ઉપયોગી થાય છે. મહુડાના ફૂલો પરંપરાગત પીણાં અને સ્થાનિક મીઠાઈઓમાં ઉપયોગમાં લેવાય છે, જ્યારે મહુડાના બીજનુ તેલ મૂલ્યવાન છે. ગુંદર અને કેસુડા ફૂલોના વિવિધ ઔધોગિક અને ઔષધીય ઉપયોગ છે. આ ઉપરાંત, વાંસ દક્ષિણ ગુજરાતની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જ્યાં તેનો ઉપયોગ બાસ્કેટ, ચટાઈ અને ફર્નિયર વગેરે બનાવવામાં થાય છે.

આ વર્ષની આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમને અનુરૂપ, ગુજરાત સરકાર વિવિધ એન.જી.ઓ અને સ્થાનિક સમુદાયોના સહયોગથી, વૃક્ષારોપણ અભિયાન, વિવિધ જાગૃતિ અભિયાનો અને કાર્યશાળાઓ દ્વારા વન સંરક્ષણ અને તેના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહિત કરી રહી છે. ગુજરાત વન વિભાગ સુચારુ વન વ્યવસ્થાપન માટે આપણા પરંપરાગત જ્ઞાનને આધુનિક સંરક્ષણ તકનીકીઓ સાથે સંકલિત કરે છે જેથી આપણા વનો લોકોને તથા પ્રકૃતિને મદદરૂપ થઇ શકે.

જ્યારે ગુજરાત આંતરરાષ્ટ્રીય વન દિવસ ઊજવી રહ્યું છે ત્યારે આપણા વનો કે જે ટકાઉ જીવનશૈલી પ્રોત્સાહિત કરે છે તેના મહત્વને સ્મૃતીમા સ્થાન આપવું જોઇએ. જેમ વસંત ઋતુ પુનર્જીવન અને વૃદ્ધિનું પ્રતિક છે, તેમ વનો શુદ્ધ વાયુ, પાણી અને જરૂરી સ્રોતો પુરા પાડી પર્યાવરણીય પુનર્જીવન માટે કારકરૂપ બને છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો