વિસરાયેલ શેરી રમતના સાધનોથી બનાવાયા ગણેશજી

0 0
Spread the love
Read Time:2 Minute, 42 Second

હાલના તબક્કામાં નાના બાળકો જૂની રમતો ભૂલીને માત્ર કમ્પ્યૂટર કે મોબાઈલ પાછળ ઘેલા થયા છે ત્યારે નવસારી શહેરમાં વર્ષો જૂની રમતો બાળકો સુધી પહોંચાડવાનાં ઉદેશ સાથે ગણેશ પ્રતિમા બનવવામાં આવી છે. શ્રી ગણેશ યુવક મંડળ આયોજિત વિસરાયેલી રમતો તાજી થાય તે માટે અલગ અલગ રમતના સાધનો વડે ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી છે.

ગણેશ મહોત્સવની ઉજવણી આંનદ ઉલ્લાસ ભેર વાતાવરણમાં કરવામાં આવી રહી છે. નવસારી શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા લોક જાગૃતિ અર્થે વિવિધ થીમ પર ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. નવસારી શહેરના ગણેશચોક ખાતે છેલ્લા 48 વર્ષથી મંડળ દ્વારા સંદેશાત્મક થીમ ઉપર ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. જેમાં સમાજને કોઈકને કોઈક સારો સંદેશ આપી શકાય. તેવા ઉદ્દેશથી આ મંડળના સભ્યો મથામણ કરીને ગણેશ પ્રતિમા ડિઝાઇન કરે છે. આ વર્ષે વિસરાયેલી રમતો તાજી થાય તે માટે અલગ અલગ રમતના સાધનો વડે ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. આધુનિક જમાનાનુ બાળપણ કોમ્પ્યુટરની રમતો અને ભાગદોડમા પતન થઈ રહ્યુ છે તેવા સમયે જુની રમતોને ફરીથી જીવંત કરી બાળપણને બચાવવાનો પ્રયાસ રુપે અલગ અલગ રમતના સાધનો વડે ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી છે.  આ પ્રતિમા દર્શનની સાથે બાળપણના સંસ્મરણો તાજા થાય છે.

આ ગણેશ પ્રતિમાનું મોઢું ભમરડાથી બનાવવામાં આવેલ છે. સૂંઢ ભમરડાની દોરીમાંથી બનાવવામાં આવી છે. કાન કોડીથી તેમજ કાનની કડી દોરી કુદમાંથી બનાવવામાં આવી છે. જમણો હાથ કપડાં ધોવાના પાયામાંથી બનાવવામાં આવેલ છે. જે આગાઉના સમયમાં બાળકો ક્રિકેટની રમતમાં ઉપયોગમાં લેતા હતા. જમણો હાથ ગીલોડ દ્વારા બનાવવામાં આવ્યો છે, તો જમણો પગ માચીસના બોક્સમાંથી બન્યો છે. ડાબો પગ પાનાની કેટ માંથી બન્યો છે. તેમજ બેઠક ઉપર પૈંડુ બિલ્લો બોલ અને ગિલ્લી મુકવામાં આવ્યા છે. આમ અલગ અલગ સાધન વડે બનાવવામાં આવેલ આ શ્રીજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

Spread the love

Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

Spread the love

Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
error: Content is protected !!