
રેડક્રોસ નવસારી જિલ્લા શાખા દ્વારા સમગ્ર ઉનાળા માટે ઠંડા પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી છે .ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સૌજન્યથી ,ચેરમેન શ્રી અજયભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં જલધારા પ્રોજેક્ટ થકી ઠંડા પાણીની પરબ શરૂ કરવા માં આવી છે .
સખત તાપથી રાહદારીઓ ,વિદ્યાર્થીઓ, શ્રમિકો વગેરેને રાહત મળે તે હેતુથી જરૂરિયાતવાળા વિસ્તારોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે .જે અન્વયે ૧, રેડક્રોસ ભવન પાસે ,૨,શાંતાદેવી શાકમાર્કેટ પાસે ઠંડા મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે ,જેના લોકાર્પણ સમયે નેશનલ માઇનોરીટી કમિશનના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી કેરસી દેબૂ,સામાજિક અગ્રણીઓ શ્રી માધુભાઈ કથીરિયા, શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શ્રી શેખરભાઈ પરીખ, શ્રી રાજુભાઈ ગુપ્તા, શ્રીમતી ચેતનાબેન બિરલા, શ્રી ભરતભાઈ ભડકન વગેરેની ઉપસ્થિતિમાં સ્થાપક સભ્ય પ્રાધ્યાપક જશુભાઈ નાયકના હસ્તે રેડ ક્રોસ ભવન ખાતે તથા ડો. સંજય ગાંભવા ના હસ્તે શાંતાદેવી શાક માર્કેટ ખાતે પાણીની પરબ ખુલ્લી મુકાય હતી .આ પ્રસંગે રેડક્રોસના ચેરમેન તુષારભાઈ દેસાઈ તથા માનદ મંત્રી ડો. ધર્મેશ કાપડિયાએ કહ્યું હતું કે રેડક્રોસ એના સેવા કાર્ય દ્વારા માનવતા ની સેવા માટે હંમેશા કટિબદ્ધ છે .આ પ્રસંગે તેઓએ રેડક્રોસના એડમિનિસ્ટ્રેટર ડો. નરેશ ધનાણી , ગ્રંથપાલ ફિરદોષ મોટરવાળા તથા સ્ટાફ પરિવારનો તેમની ખડે પગે સેવા માટે આભાર પણ માન્યો હતો.