
ગણેશ મહોત્સવ પૂર્વે રાજા શાહી તાતમાં ગણેશ પ્રતિમાઓનું આગમન
ભારત પર્વોની ભવ્ય સંસ્કૃતિનો દેશ છે અહી ધાર્મિક, સામાજીકઅને રાષ્ટ્રીય એમ અનેક પ્રકારના પર્વો ઉજવાય છે તેમજ પ્રાચીનકાળ થી ગણેશજીના પૂજનનો મહિમા ગણાતા વિધ્ન હરતા અને પ્રથમ પૂજનીય શ્રી ગણેશ ઉત્સવની છે . ત્યારે ગણેશ મહોત્સવ પૂર્વે નવસારી શહેરમાં દસ દિવસનું આતિથ્ય માણવા પધારતા ગણેશજીનું ભવ્ય સ્વાગત ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
નવસારી શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. ગણેશ મહોત્સવ પૂર્વે નવસારી-વિજલપોર શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ મહોત્સવને લઈ ભક્તોમાં તેમજ ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરીને ગણેશ ઉત્સવની ઉજવણી ઠેરઠેર કરવામાં આવે છે. જેને લઈને મંડળમાં શ્રીજીની પ્રતિમા લાવવામાં આવે છે. નવસારી શહેરમાં પણ રંગેચંગે ગણેશજીનું આગમન કરવામાં આવે છે.
વિધ્નહર્તાનું આગમન લોકો અંતરના ભાવ સાથે કરતા હોય છે. શહેરમાં મોરીયા રે બાપ્પા મોરયાની ધૂન ગાતા ગાતા અને ઢોલ નગારા તેમજ ડીજેના સથવારે રાજા શાહી તાતમાં વિવિધ મંડળો ધ્વારા શેરીઓમાં વિવિધ સ્વરુપમાં ગણેશજીની પધ્ધરામણી કરવામાં આવી રહી રહી છે. ગણેશ મંડળો ધ્વારા હવે પ્રતિમાઓને ચકાચોર અને ઢોલ નગારા ના તાલે અને ડીઝેના સથવારે રંગબેરંગી લાઇટિંગ્સ ના અજવાળા પાથરી મંડપ સુધી લાવવા ની શરૂઆત કરી દીધી છે. ગણેશ મહોત્સવના દસ દિવસ્ય ઉત્સવ પૂર્વે નવસારી શહેરમાં મોરીયા રે બાપ્પા મોરયાની ધૂન ગાતા ગાતા અને ઢોલ નગારા તેમજ ડીજેના સથવારે રાજા શાહી તાતમાં વિવિધ મંડળો ધ્વારા શેરીઓમાં વિવિધ સ્વરુપમાં ગણેશજીની પધ્ધરામણી કરવામાં આવતાં નવસારી પંથક ગણેશમય બનવા પામ્યુ છે.