
હરિતક્રાંતિ આવ્યા બાદ ભારત દેશમાં ખેતીમાં હરણફાળ ભળી છે અને ખેતપેડાશો જેવા કે અન્ય શાકભાજી ફળફળાદી વગેરેમાં ઉત્પાદન વધવાની સાથે સ્વનિર્ભર બનેલ છે. તદઉપરાંત ભારત દેશ નિકાસ કરતા દેશ તરીકે પ્રસ્થાપિત થયો છે. પરંતુ તેની સાથે સાથે ખેતીમાં બીજા પ્રશ્નો જેવા કે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો, ઉત્પાદન ક્ષમતામાં સ્થિર થવી, ભૂગર્ભ જળ ન ઘટાડો, ઉત્પાદિત અન્ન/શાકભાજીમાં ઝેરના અવશેષો મળવા, પર્યાવરણ પર માઠી અસરો, જળવાયું પરિવર્તન વગેરે તથા હાલમાં થતી ખેતીથી માનવ જીવનના સ્વાસ્થ્ય ઉપર માઠી અસરો પણ જોવા મળેલ છે. આ બધી સમસ્યાઓથી બચવા અને જમીન ફળદ્રુપતા જાળવીને લાંબો સમય સુધી ટકાઉ ખેતી કરવા અને ગુણવત્તા ઉત્પાદન મેળવવા માટે ગાય આધારિત ખેતી તથા પાકૃતિક ખેતી તરફ વળવું એ આજના સમયને માંગ છે.
જેના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના માનનીય કુલપતિ શ્રી ડો. ઝેડ પી પટેલના માર્ગદર્શન અને પ્રેરણનાથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા વાંસદા ના માનપુનિયા ગામે પ્રાકૃતિક ખેતી જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ગામના માજી સરપંચ શ્રી રમેશભાઈ સૌનું સ્વાગત કરતા ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ યુનિવર્સિટીના પ્રોજેક્ટનોનો લાભ લેવા અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા હાકલ કરી હતી. આ શિબિરમાં કેવીકે ના વડા ડો. કે એ શાહે પ્રાકૃતિક ખેતી દેશી ગાયનું મહત્વ અને તેના ગોબર અને ગૌમૂત્રમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બીજામૃત, જીવામૃત, ધનજીવમૃત બનાવવાની પદ્ધતિઓ અને તેના ઉપયોગ તેમજ ખેતીમાં આવતી રોગ જીવાત ને નિયંત્રણ કરવા માટે વનસ્પતિજન્ય દવાઓ જેવી કે બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર, દર્શપણી અર્ક બનાવવા માટેની જાણકારી આપી હતી. જી.જી.આર.સી નવસારીમાંથી પધારેલ અધિકારીઓ શ્રી તુષારભાઈએ ખેતીમાં પરંપારક ગત પિયત પદ્ધતિ છોડીને સૂક્ષ્મ પિયત પદ્ધતિ જેવી કે ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિ અપનાવ પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી રીનાબેન, દૂધ મંડળીના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, આજુબાજુ ગામના આગેવાનો અને ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈને ખેતીમાં મૂંઝવણતા પ્રશ્નો અંગેનું નિવારણ મેળવ્યું હતું.