
મહારાષ્ટ્ર સહિત રાજયમાં શ્રી ગણેશોત્સની શ્રધ્ધા ભેર આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી શહેર સહિત આજુબાજુના પંથકમાંથી માનતાના પાંચ દિવસના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નવસારીનાં પૂર્ણા નદીના કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી રહ્યું છે.
નવસારી શહેરીજનો દ્વારા ગણેશ પ્રતિમાઓનું ઘરોમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. અને દરોઈ આઠમને ગણેશ ઉત્સવના પાંચમાં દિને ભાવિકો દ્વારા ઢોલ નગારા અને ડીજેના સથવારે શોભાયાત્રા આનંદ ઉલ્લાસ સાથે નીકળી હતી. લોકમાતા પૂર્ણા નદીમાં મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે. સરકારના પર્યાવરણ વિભાગે નદી, સમુદ્ર જેવા પાણીના કુદરતી સ્ત્રોત ના બગડે તે માટે કુત્રિમ તળાવ બનાવી પીઓપીની શ્રીજીની પ્રતિમાને વિસર્જન કરવા તાકીદ કરેલ જેને લઇને નવસારી વિજલપોર પલિકા ધ્વારા પૂર્ણાનદી કાંઠે ગણેશ પ્રતિમાઓને કુત્રિમ તળાવ બનાવી તેમાં વિસર્જન કરવામાં આવ્યા છે.
નવસારી શહેરમાં૬૦૦ થી વધુ ગણપતિબાપાની પ્રતિમા વિસર્જન કરવામાં આવશે. નવસારી શહેરમા સવારથી સંધ્યાકાળ સુધી પુર્ણાનદીમાં વિરાવળ, ધારાગીરી અને જલાલપોર વિસ્તારના ઓવારા પર વિસર્જન પ્રક્રિયા હાથધરવામાં આવી હતી. નવસારી જીલ્લામાં એક હજારથી વધુ ગણેશ પ્રતિમાનું શાંતિપૂર્ણ ભર્યા વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું છે.