ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી દ્વારા કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં

0 0
Spread the love
Read Time:3 Minute, 52 Second

નવસારીઃ  ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી  દ્વારા ઓગષ્ટ-૨૦૨૪ માં જુદા-જુદા એકમોમાંથી કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં છે. જેમાં તહેવારો નિમિત્તે ફરાળી વાનગી બનાવવા માટેની પેકીંગ ખાદ્યચીજો ફરાળી, ફરાળી બિસ્કીટો, ફરાળી રાંધેલો ખોરાક-વડા-પેટીશ વિગેરે, મિઠાઇ, ફરસાણના નમૂનાઓનો સમાવેશ થાય  છે. મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને પિરસવામાં આવતા રાંધેલ ખોરાક તેમજ તેના કાચા સામાનના નમૂનાઓ લેવામાં આવ્યા  છે.

આ અગાઉ ધનહર મસાલા ભંડાર પ્રા.લી. માણેકપોર, જલાલપોર ખાતેથી ફરાળી શિંગોળાનો લોટ બનવવા માટે વપરાતા આખા શિંગોળા ખાદ્યચીજનો નમૂનો લેવામાં આવ્યા હતાં. જે અનસેફ જાહેર થતા આ પેઢી વિરૂધ્ધ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. એલ.સી. નવસારી સાથે સંયુકત કામગીરીમાં કુલ-૦૮ નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને સ્થળ ઉપર નમૂના લીધા બાદ કુલ-૨૯૧૮ લી. નો જથ્થો જેની કિંમત કુલ-૧૩,૬૬,૯૯૮/- રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જે પૈકી  રીફાઇન્ડ પામઓઇલ તેલ (લીલી) બ્રાંડ એડલટ્રંટ (ઘી માં ભેળસેળ કરવા વાપરવા માટે સંગ્રહ કરેલ શંકાસ્પ્રદ જથ્થો) તરીકે લેવામાં આવેલ, ક્રિમ (લુઝ) તથા અન્ય કુલ-૬ નમૂના અલગ-અલગ બ્રાંડના ઘી ના હતા એ તમામ નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલું હોય શિવ ફૂડ પ્રોડક્ટ,  ઓણચી, નવસારી વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પેઢીનો પરવાનો ડેઝીગ્નેટેડ ઓફિસર, નવસારીનાઓએ કુલ-૬૦ દિવસ માટે સ્થગિત(સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે.

નવસારી જિલ્લા ખાતે આવેલ જુદા-જુદા એકમો મળી કુલ-૧૨૯ પેઢીઓની તપાસ કરવામાં આવેલ જે પૈકી કુલ-૯ પેઢીઓ વિરૂધ્ધ રજીસ્ટ્રેશન ન ધરાવતા હોય ફૂડ સેફટી ઓફિસરોએ કંમાઉન્ડીંગ સમાધનલક્ષી અરજીઓ દાખલ કરવામાં આવેલી જે પૈકી કુલ-૬ અરજીઓ સામે ડેઝીગ્નેટેડ ઓફિસર, નવસારી દ્વારા સમાધન હુકમથી નિકાલ કરી કુલ રૂ.૧૭,૫૦૦/-નો દંડ કરવામાં આવ્યો છે. એક અરજી સમાધાનલક્ષી કાર્યવાહી માટી પેન્ડીંગ છે તેમજ કુલ-૨ અરજીઓ શ્રધ્ધા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ અને ઓરેંજ હોસ્પિટલ ખાતે આવેલ કેન્ટીંન વિરૂધ્ધ ફૂડ સેફટી ઓફિસરને એજ્યુડીકેશનની આગળની કાર્યવાહી કરવા જણાવેલ છે. તેમજ કુલ-૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ કરવામાં આવી હતી જે પૈકી કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ (Improvement Notice) પાઠવવામાં આવેલી છે. તેમ ખોરાક અને ડેઝીગ્નેટેડ ઓફીસરશ્રી ઔષધ નિયમન તંત્ર, નવસારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.  

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    Spread the love

    Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    Spread the love

    Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

    માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

    સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

    સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
    error: Content is protected !!