
નવસારી જિલ્લામાં 52 કિલોમીટર જેટલો દરિયા કિનારો આવેલ છે. જિલ્લાના જલાલપોર તાલુકાના લોકો મત્સ્યપાલન વ્યવસાય કરે છે. ત્યારે નવસારી મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જલાલપોર તાલુકાના 130 જેટલા તળાવો મત્સ્ય ઉછેર કરવા ફાળવણી કરી છે. આ તમામ તળાવો ગ્રામપંચાયતની પરવાનગી વિના મત્સ્ય ઉછેર અર્થે ફાળવણી કરવામાં આવી છે જેના વિરોધમાં જલાલપોર ગામોના અગ્રણીઓ અને સરપંચો દ્વારા કલેકટર ક્ષિપ્રા આગ્રે સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈને આવેદનપત્ર પાઠવી તળાવો ફાળવણી રદ કરવા રજૂઆત કરી છે.
નવસારી જિલ્લામાં ખેતી, પશુપાલન અને મત્સ્યપાલન સાથે લોકો જોડાયેલ છે. જલાલપોર તાલુકામાં દરિયાકાંઠે વિસ્તારમાં મત્સ્ય ઉછેર અર્થે તળાવો આવેલ છે. જેમાં સોથી વધુ જિંગા તળાવો આવેલ છે. આ તળાવ મત્સ્ય ઉછેર માટે જીવાદોરી છે. ત્યારે નવસારી મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જલાલપોર તાલુકાના ગામોના તળાવો મત્સ્ય ઉછેર કરવા ફાળવણી કરી છે. આ તમામ તળાવો ગ્રામપંચાયતની પરવાનગી વિના મત્સ્ય ઉછેર અર્થે ફાળવી દેવામાં આવ્યા છે. જલાલપોર તાલુકાના હાલ કરાખત, પરૂજણ, માંગરોળ, પરસોલી, ભિનાર, ભાઠા ટુંડા મગોબ, નિમળાઈ, દાંતી, ઉભરાટ, દિપલા, વાંસી, બોરસી, માછીવાડ, સિમળગામ, દેલવાડા જેવા અનેક ગામો પીવાના પાણીની અછત છે. આ કાંઠા વિસ્તારમાં કેટલાક તળાવોમાં પંચાયતો દ્વારા સ્વખર્ચે બોર બનાવી મીઠા પાણીનો સંગ્રહ કરી ગામજનોને પીવાનું પાણી આપવામાં આવે છે. જલાલપોર તાલુકાના કેટલાક તળાવોમાં સિંગોળા અને કમળ કાકડી ઉછેર કરવામાં આવ્યા છે.
નવસારી મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જલાલપોર તાલુકા ગામોના તળાવો મત્સ્ય ઉછેર અર્થે ગ્રામ પંચાયતની પરવાનગી વિના ફાળવણી કરવામાં આવી છે જેને લઈને જલાલપોર તાલુકાના સરપંચોએ આ નિર્ણયનો વિરોધ કરી તળાવની ફાળવણી રદ કરવા રજૂઆત કરી છે. આજ રોજ જલાલપોર તાલુકા વિવિધ ગામોના સરપંચ અને અગ્રણીઓએ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેને આવેદનપત્ર પાઠવી તળાવો ફાળવણી રદ કરવા રજૂઆત કરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ સરપંચો અને અગર્ણીઓએ સખત શબ્દોમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈને મત્સ્ય ઉછેર માટે તળાવ ફાળવણી ગેરબંધારણીય હોવાથી તત્કાલીન ફાળવણી રદ કરવા રજૂઆત કરી છે.