
નવસારી: નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઇ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ અગ્રતા ધરાવતા કુટુંબોને વિતરણ વ્યવસ્થા , ગ્રામ્ય – તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ વ્યાજબી ભાવોની દુકાનમાં ગ્રાહકો માટે ઈ-કેવાયસી અંગે ચર્ચા-સમીક્ષા કરી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી શ્રી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા નાગરિક પુરવઠાની બેઠકમાં નવસારી જિલ્લામાં એપ્રિલ- ૨૦૨૪ થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં જિલ્લાકક્ષાએ થી વાજબી ભાવની દુકાનની કુલ-૧૦૩ , બિનપરવાનેદારશ્રીની-૬૧ , ગેસ એજન્સીઓ-૩૮ , ગોડાઉન-૨૮ , પેટ્રોલપંપ-૭૩ તપાસણી કરવામાં આવી છે. બેઠકમાં સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.