
નવસારીમાં નવરાત્રીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગરબા મહોત્સવમાં જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ખડકીને કોઈ ઘટના બનવા દીધી ન હતી. પોલીસ કર્મીઓએ આખી રાત ઉજાગરો કરી સુરક્ષા આપી નૈતિક ફરજ પણ બજાવી હતી. ત્યારે રવિવારના રોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા બી.આર ફાર્મખાતે નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે.
એક દિવસ માટેના હેલ્લારો નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ પોતાના પત્ની સાથે ગરબે ઘૂમ્યા હતા. આમ અલગ-અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ તથા એલસીબી,એસ.ઓ.જી. ના સ્ટાફ સહિતના પોલીસ પરિવાર આ ગરબા ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રી મહોત્સવમાં અન્ય ખેલૈયા સાથે પોલીસ જવાનોએ ગરબાની રંગત માણી હતી. એક દિવસ ગરબા લઈને પોતે નવરાત્રી નો ઉત્સવ ઉજવી શકે તેવી દિશામાં જિલ્લા પોલીસ વડાપ્રધાન દ્વારા પગલું ભરવા આવ્યું હતું. જેથી પોલીસ પરિવારમાં પણ ભારે ખુશીની લહેર પ્રસરી છે .