
કૃષિ યુનિવર્સિટી નવસારીનો પોલીટેકનિક વિદ્યાર્થીઓ માટે દ્વિતીય પાસીંગ આઉટ સેરેમની કુલપતિ ડો. ઝેડ. પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે દ્વારા પોલીટેકનીક વિદ્યાર્થીઓને ડિપ્લોમા પદવી એનાયત કરવામાં આવી છે. શ્રેષ્ઠ વિધાર્થીઓને મેડલ એનાયત પણ કરવામાં આવ્યા છે.
નવસારી કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે ડિપ્લોમા પદવી મેળવનાર વિદ્યાર્થીઓના મનોબળ અને ઉત્સાહને વધારવાના ઉદ્દેશ્યથી ગત વર્ષે ડિગ્રી ધારકોના પદવીદાન સમારંભ મુજબનો પદ્ધતિસરનો ‘પોલીટેકનિક વિદ્યાર્થીઓ માટે પાસિંગ આઉટ સમારોહ’ પ્રથમ વખત પ્રારંભ કરવાની પહેલ કરી હતી. આજ રોજ રોજ નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે દ્વિતીય પાસીંગ આઉટ સેરેમની કુલપતિ ડો. ઝેડ. પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે અને મહાનુભાવોના હસ્તે પોલીટેકનીક વિદ્યાર્થીઓને ડિપ્લોમા પદવી એનાયત કરવામાં આવી છે. આ સમારોહ દરમ્યાન કુલ ૨૦૮ વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. જે પૈકી કૃષિ પોલિટેકનીક, વ્યારાના ૪૦, ભરૂચના ૩૭ અને વઘઇના ૩૬, બાગાયત પોલિટેકનીક, નવસારીના ૩૬, પરિયાના ૩૪, અને કૃષિ ઈજનેરી પોલિટેકનીક, દેડિયાપાડા ના ૨૫ વિદ્યાર્થીઓ છે. જેમાં પ્રત્યેક ફેકલ્ટી (કૃષિ, બાગાયત અને કૃષિ ઇજનેરી) માટે પ્રતિષ્ઠિત વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને ચાર પ્રાયોજિત સુવર્ણ ચંદ્રકોનો સમાવેશ છે. આ સમારોહમાં સુમૂલ ડેરીમાં પ્રતિનીધિ જયેશભાઇ એન. પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.