
ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણીનું બિરૂદ આપવા, ગૌહત્યા બંધ કરાવવા માંગ
રાજ્યભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનું બિરૂદ આપવા માટે ગૌભક્તો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે નવસારી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
હિન્દુ સમાજ માટે ગૌમાતા એક પૂજનીય તરીકે ગણવામાં આવે છે જે અર્થે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના મુદ્દે ગુજરાતના યુવાનો છેલ્લા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોડલ ગુજરાતમાં આજે પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સ્વીકારવામાં આવી નથી. જ્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે બાદ ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નવસારી ગૌરક્ષકો સાથે ગુજરાત પ્રદેશ ગૌ સેવા સમિતિના અધ્યક્ષ સાજન ભરવાડ સાથે નવસારી જિલ્લાની વિવિધ ગૌશાળાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, હિન્દુવાદી સંગઠનો, સાધુ-સંતો સાથે જીવદયા પ્રેમીઓએ તથા શેહરીજનોએ નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું છે. નવસારી અધિક કલેકટર કેતન જોષીને આવેદન પત્ર પાઠવ્યું છે. રાજય સહિત દેશમાં ગાયની દર્દનાક સ્થિતિ, ગૌમાતાના નામે થતો ધંધો અને કરોડો હિન્દુઓની આસ્થા સહિતના મુદ્દાઓ સાથે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગૌહત્યા બંધ થાય અને ગૌવંશના વિકાસ માટે સરકાર દ્વારા યોજનાઓ મુકવામાં તેમજ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના માંગણી કરી છે. હિન્દુ સમાજ માટે ગૌમાતા એક પૂજનીય તરીકે ગણવામાં આવે છે, ગૌમાતા પ્રત્યે લોકોમાં એક ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે.