
મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજીના દર્શન
સંસ્કારી નગરી નવસારી જૈન ધર્મનું તીર્થ ધામ છે. જૈન મુનિઓને નવસારી શહેર વધુ પ્રિય છે. સંસકારી નગરીમાં જૈન સમાજ સાથે તમામ ધર્મના લોકો જૈન મુનિઓને આશિષ મેળવવા ઉમટી પડતા હોય છે. ત્યારે નવસારી શાંતાદેવી ખાતે સ્થિત શ્રી આદિનાથ શ્વે મુ પૂ.જૈન સંઘમાં બિરાજમાન વર્તમાન પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજી 92 વર્ષની ઉંમરે કાળ ધર્મ પામ્યા છે. જેને લઈને જૈન સમાજ સાથે નવસારી શહેરમા શોક વ્યાપી ગયો છે.
શ્રી આદિનાથ શ્વે મુ પૂ.જૈન સંઘમાં બિરાજમાન વર્તમાન પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજી ચાતુર્માસ નિમિતે બિરાજમાન હતા. આચાર્ય હેમ પ્રભુસુરીશ્વરજી ભગવાનનો 65 વર્ષનો દીક્ષા પર્યાય છે. તેઓ છેલ્લા ઘણાં દિવસથી બીમાર હતા. અને તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. ગત રોજ શાંતાદેવી રોડ સ્થિત શ્રી આદિનાથ જૈન સંઘમાં સાંજે કાળધર્મ પામ્યા છે. મહારાજ સાહેબના દુઃખદ સમાચાર થી જય. સમાજમાં શોક વ્યાપી ગયો છે. ગત સાંજથી જ આચાર્ય ભગવાનના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપાશ્રય ખાતે પહોંચી રહયા છે.
ગત શુકરવારને 27મી તારીખના રોજ સાંજે 6:21 કલાકે પુષ્પ નક્ષત્રમાં સમાધિપૂર્વક નવકારનું સ્મરણ કરતા કાળધર્મ પામ્યા છે. પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુ સુરીશ્વરજી 92 વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા છે. આજ બપોરે 1 કલાકે શહેરના રાજમાર્ગો પર પાલખી યાત્રા નીકળશે. આ મહારાજ સાહેબના દર્શન સાથે પાલખીયાત્રાનું જીવંત પ્રસારણ સત્ય પ્રહરી પર નિહાળી શકશે.