
નવસારીઃ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, સરકારશ્રીની સુચનાનુસાર હાલમાં રેશનકાર્ડ E- kyc ની કામગીરી ઝુબેશ સ્વરૂપે ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન આધારકાર્ડમાં મોબાઈલ અપડેટ ન હોવાના કારણે E-kyc ની કામગીરી થઈ શકતી નથી. જેથી આધારકાર્ડમાં મોબાઈલ અપડેટ કરાવવાની કામગીરી ખુબ જ અગત્યની છે. જેને અનુલક્ષીને નવસારી જિલ્લાના આધાર કેન્દ્રો ખાતે E- kyc ની કામગીરી હાથ નાગરિકોની સુવિધા માથે હાથ ધરવામાં આવશે.
આ કામગીરીમાં લોકોને સરળતા રહે તે માટે તા.૨૮/૦૯/૨૦૨૪ ના રોજ આધાર કેન્દ્રો ખાતે સવારે ૧૦-૩૦ થી સાંજે ૬-૧૦ સુધી ચાલુ રાખવામાં આવનાર છે. તેમજ બપોરે ૨-૦૦ થી ૨-૩૦ કામગીરી બંધ રહેશે. આધાર કેન્દ્ર કલેકટર કચેરી, મામલતદાર કચેરી, નવસારી (ગ્રામ્ય), મામલતદાર કચેરી જલાલપોર, મામલતદાર કચેરી ગણદેવી, મામલતદાર કચેરી ચીખલી, મામલતદાર કચેરી ખેરગામ, મામલતદાર કચેરી વાસદા, નવસારી-વિજલપોર નગરપાલિકા, બીલીમોરા નગરપાલિકા ખાતે રેશનકાર્ડ E- kyc ની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમ નાયબ કલેકટરશ્રી, નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.