
દિલ્હીથી મુંબઈને જોડતી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર રેલ્વે લાઈન એટલે કે રેલવેની મુખ્ય લાઇનને અડીને માલવાહક ટ્રેન માટે અલાયદો રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે. ફ્રેટ કોરિડોર રેલ્વે ટ્રેક (માલગડી) પર છાશવારે અકસ્માતો સર્જાય છે અને લોકોનાં મોત થયા છે. જેને લઈને લોકોને જાગૃત કરવા માટે રેલ્વે તંત્રએ કર્યુ નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. રેલ્વે પોલીસના અધિકારીઓ દ્વારા નુક્કડ નાટકમાં યમરાજની વેશભૂષામાં ટ્રેક પાસ કરતા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
માલગડીઓ માટે ભારત સરકારે અલયદો રેલ્વે ટ્રેક બનાવ્યો છે. દિલ્હીથી મુંબઈને જોડતી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર રેલ્વે લાઈન નવસારી જીલ્લામાંથી પસરા થાય છે. આ રેલ્વે લાઈન ઉપર છેલ્લા 6 મહિનામાં બીલીમોરા અને સુરતની વચ્ચે 50 થી વધુ લોકોના કપાઈ જવાથી મોત થયા છે જયારે ભીલાડ થી વડોદરા સુધીમાં 100 થી વધુ લોકોનાં મોત નીપજયા છે જેન લઈંને રેલવે વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફેટ કોરિડોર ઉપર પસાર થતી ટ્રેનો ની લાઈન કોઈ પસાર ન કરે એ માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે રેલવે વિભાગ દ્વારા યમરાજ અને ચિત્રગુપ્ત ની વેશભૂષક કડી બે કલાકારોને નવસારીના જુદા જુદા વિસ્તારોમાં લઈ જઈ નક્કર નાટક ભજવી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રેલ્વે વિભાગ દ્વારા ગત રોજ સૂરતના ઉધના વિસ્તારમાથી નુક્કડ નાટકનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને આ એક સપ્તાહ દરમ્યાન આગામી દિવસમો બીલીમોરા, વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ભીલાડ સાથે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર નજીક સફાલે રેલ્વે લાઈન સુધી યમરાજની વેશભૂષામાં ટ્રેક પાસ કરતા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.