
નવસારી જિલ્લાના તાલુકાઓમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ
નવસારી: સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશની કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા બાબતે જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને ભાગીદારી વધારવા અને લોકોમાં સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા ના સૂત્રને કાયમી ધોરણે ટકાવી રાખવાના હેતુથી આજે નવસારી જિલ્લાના તમામા તાલુકામાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ થયેલ છે . જે અન્વયે વાંસદા તાલુકાના ખાંભલા , નવસારી તાલુકાના પડઘા , જલાલપોર તાલુકાના ક્લથાણ , ચીખલી ગામના ખૂંધ , ગણદેવી તાલુકાના ધનોરી અને ખેરગામ તાલુકાના બહેજ ગામેથી મહાનુભાવો , સ્થાનિક પદાધિકારીઓ , જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો તથા ગ્રામજનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યું હતું.
લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે એવા શુભ આશયથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે . જ્યાં ગંદકી થતી હોય એવા સ્થળોની ઓળખ કરીને કાયમી સફાઈ થાય તેમજ પ્લાસ્ટિક જેવા પર્યાવરણને નુકસાનકર્તા પરિબળોનો નિકાલ અને જાહેર ઉદ્યાનો, શાકમાર્કેટ, ઉદ્યોગોના વિસ્તાર જેવા સ્થળોએ ઝૂંબેશના રૂપે સ્વચ્છતા અભિયાનમાં આવનાર દિવસોમાં વિવિધ જનભાગીદારીના કાર્યક્રમોના આયોજન કરવામાં આવેલ છે. ગ્રામજનો અને નાગરિકોન આ અભિયાનમાં સહભાગી બને અને સ્વચ્છતા માટે નાગરિકોમાં એક આદત કેળવાય એવા શુભહેતુસર સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને તેમની આસપાસનો વિસ્તાર સ્વચ્છ કરી નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા નવસારી જિલ્લો