
ગ્રામ્યકક્ષાએ વનમહોત્સવની ઉજવણીની સાથોસાથ ૧૦૦૦ થી વધારે રોપાઓનું વાવેતર કરી “માતૃવન” નું નિર્માણ કરાયું
નવસારી : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત નવસારી જિલ્લાના ૬ તાલુકામાં ૫૦૦૦ જેટલા રોપાઓનું વિતરણ અને અલગ અલગ ગામોમા ગ્રામ્યકક્ષા વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે ૧૦૦૦ થી વધારે રોપાનું વાવેતર કરી માતૃવન નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારી તાલુકાના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, નવસારી તાલુકા પ્રમુખ પ્રતિભાબેન આહિર, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ નવસારીશ્રી ભાવનાબેન દેસાઈ, પ્રાંત અધિકારી નવસારીશ્રી જનમ ભાઇ ઠાકોર, મામલતદારશ્રી નવસારી, ટીડીઓશ્રી નવસારી તેમજ ચીખલી કોલેજના સ્ટાફ વગેરે સાથે મળી વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.