સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીને સ્પોન્સરશિપ

0 0
Spread the love
Read Time:2 Minute, 37 Second

૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઓલ ઇન્ડિયા ચેરમેન શ્રી ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટીની નવસારીની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફુવારા બ્રાંચની વિશેષ મુલાકાત દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ સાથે ખાસ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. આ દરમ્યાન ચેરમેન શ્રી સેટ્ટી દ્વારા યુનિવર્સિટીના સમર્થનમાં આઈ.ટી. સંબંધિત સાધન (નેટવર્ક ફાયરવોલ) અને સંશોધન સંબંધિત સાધન (રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુજ) ની ખરીદી અર્થે  કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ ને રૂપીયા ૨૩,૮૬,૦૦૦ નો ચેક અર્પણ કર્યો હતો. આ સાધનો નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે ખુબજ ઉપયોગી થશે. આ પ્રસંગે વિદ્યાર્થી કલ્યાણના નિયામક પ્રો. જયમીન નાયક અને હિસાબ નિયામક અને નિયંત્રણ અધિકારી (આઈ.ટી.) શ્રી ચિરાગ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા.

કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથેના નવસારી કૃષિ યુનિવર્સિટીના વર્ષોથી સુમેળભર્યા સંબંધો વર્ણવ્યા હતા અને ભવિષ્યમાં બંને સંસ્થાઓના સબંધો વધુ ગાઢ બની એક મેકની પ્રગતિમાં સહભાગી બને એવી આશા વ્યક્ત કરી હતી. શ્રી સેટ્ટીએ પણ નવસારી સાથેના એમના ભૂતકાળના સંસ્મરણો વાગોળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ નાં સ્વયંના સઘન પ્રયાસ અને માર્ગદર્શન હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટીના હિસાબ નિયામક અને નિયંત્રણ અધિકારી (આઈ.ટી.) શ્રી ચિરાગ નાયક તેમજ SBI નવસારીના રિજિયોનલ મેનેજર શ્રી સંજય ચૌહાણ (RBO); ચીફ મેનેજર શ્રી નીતિન મુકેશ આર્ય (RBO) અને  SBI NAU કેમ્પસ બ્રાંચ ના મેનેજર શ્રી પ્રશાંત સોલંકીના સમર્પિત પ્રયાસો અને સહયોગથી આ નોંધપાત્ર ભંડોળ શક્ય બન્યું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

Spread the love

Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

Spread the love

Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
error: Content is protected !!