ભાજપ-સંઘ સંઘર્ષ, ભાજપને વધુ નુકસાન પહોંચાડી શકે !

0 1
Spread the love
Read Time:3 Minute, 45 Second

ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ પક્ષના નેતાઓ આગેવાની જીભ લપસી પડતી હોય છે હાલમાં પુરી થયેલી લોકસભાની ચૂંટણીઓ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા એ ફોર્મમા ને ફોર્મમા કહી દીધું કે ભાજપ હવે સક્ષમ પક્ષ બની ગયો છે ભાજપ કેન્દ્રમા 400 પારના આંકડાને આરામથી રમતા રમતા સ્પર્શી જશે ભાજપને હવે સંઘના ટેકાની સહારાની જરૂર નથી.  

નડ્ડા એ ભુલી ગયા કે સંઘ એક રાષ્ટ્રવ્યાપી શિસ્તબધ સંગઠન છે. સંઘ ભાજપનુ અસ્તિત્વ હતું પણ નહીં તેના વરસો પહેલાથી કાર્યરત છે. સંઘ નવા જમાના પ્રમાણે વખતોવખત પરિવર્તન માટે હંમેશા તૈયાર હોય છે જયારે ચૂંટણી હોય એ રાજ્યોમાં સંઘના સમર્પિત કાર્યકરો દિવસો અરે મહિનાઓ પહેલા ગામડા ગામડાનો ખૂણો ફરી વળે છે આ એજ સંઘ છે જેના લાખો કાર્યકરોની અથાક મહેનત અને પરિશ્રમને કારણે ભાજપ લોકસભાના 2 બેઠક પરથી 182 બેઠકો પર પહોંચ્યો હતો અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 2014 અને 2019 ની લોકસભાની ચૂંટણીઓમાં સંઘના સક્રિય યોગદાનને કારણે જ વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચ્યા હતા.

ભાજપ આગેવાનો આ વખતે 400 પારના નારામાં મગ્ન અને તલ્લીન હતા એટલે સંઘને બહુ ગણકારવાના મુડમાં નહોતા પરિણામ આપણી સામે જ છે. નરેન્દ્ર મોદીએ ખુબ જ સારા કામો કર્યા છે. જાંબાઝ હરતાફરતા કાર્યદક્ષ વડાપ્રધાન છે. નરેન્દ્ર મોદી ભારતીય રાજનીતિના અમિતાભ બચ્ચન છે. હાલમાં એક થી એક હજાર નંબર પર માત્ર ને માત્ર મોદી જ બિરાજમાન છે. દુર દુર સુધી મોદી જેમ ભારતની જનતા અને ભારતની રાજનીતિને સુપેરે સમજતા કોઈ પણ વ્યક્તિ નજરે પડતા નથી મોદી વનમેન આર્મી છે મોદીની આભા પ્રતિભા નિરાળી છે એનો તો કોઈ ઇન્કાર કરી સકે એમ નથી.

પણ આપણા આવડા મોટા 140 કરોડની વસ્તીવાલા દેશમાં તમને લાંબા સમય સુધી લોકપ્રિય શાસન કરવું હોય તો બધાને સાથે લઈને ચાલવું આવશ્યક છે ” સબ કા સાથ સબ કા વિકાસ ” સુત્ર સાચા અર્થમાં સાર્થક કરવું પડશે.  હમણાં સર્વગ્રાહી ચિત્ર જોતા આ સુત્ર માત્ર કાગળ પર જ છે એમ કહી શકાય.  હાલની લોકસભામા એક પણ લઘુમતી ઉમેદવાર મંત્રી બન્યા નથી. તંદુરસ્ત લોકશાહી માટે આ સારો સંકેત નથી. હવે આવનારી બિહાર મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને પ્રજા અને સંઘ બન્નેના સાથ સહકારની તાતી આવશ્યકતા છે. પ્રજાને ભૂલવા જેવી નથી. પ્રજાને રોજેરોજ સ્પર્શતા મોંઘવારી બેકારી રોજેરોજ ઘટતી આવક મુદ્દાઓ નજર અંદાજ કરવા જેવા નથી. આ વખતે વિરોધ પક્ષ મજબૂત બની ગયો છે વિરોધ પક્ષને  વધુ તક આપવી મોદીને કોઈ કાળે પોષાય એમ નથી. આપણે આશા રાખીયે કે આ વખતે મોદી કઈ નવા ચમત્કાર કરી બતાવશે?

એહવાલ : અબ્બાસભાઈ કૌકાવાલા, સુરત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

Spread the love

Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

Spread the love

Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
error: Content is protected !!